Explore

Search

September 6, 2025 1:58 pm

IAS Coaching

આજે વદ ચોથ હોવાથી સખ્ત ગરમીમાં પણ ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની લાઈનો લાગી

આજે 16-05-25 વદ ચોથ ને શુક્રવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી.

ચોથના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના દર્શન કરી પ્રસન્નતા અનુભવતા હોય છે.

કળિયુગના જીવંત દેવ મનાતા સિંદૂરીયા ડાભી સુંઢાળા આ દાદાનું મંદિર 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે.

દિવસે દિવસે વધતા જતા દર્શને આવનાર દાદાના ભક્તો માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થાના વહીવટદારો ખુબ સારી રીતે ભક્તોને સેવા પુરી પાડતા હોય છે.

સ્વયંસેવકોની ટીમ પણ સેવા આપવા ખડે-પગે તૈયાર જ રહે છે.

ચોથના આ દિવસે ભક્તોની સેવા હેતુ ચા – પાણી અને ઉપવાસીઓ માટે ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા કાયમ હોય છે.

અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai