Explore

Search

September 5, 2025 10:57 am

IAS Coaching

Unjha : સ્થાનિક તંત્રના પાપે ઊંઝા-દાસજ રોડ પર શ્રી કબીર આશ્રમ આગળ કેટલાય દિવસથી પડેલા મોટા ખાડાનું યોગ્ય નિવારણ ક્યારે??

કેટલાય દિવસોથી નજીકની સ્થાનિક પ્રજા આટલા મોટા ખાડાને લીધે સતત એક બાજુનો રસ્તો બંધ રાખવો પડતો હોવાથી ત્રાસી ગઈ છે.

અનેક વારના રીપેરીંગ પ્રયત્નો પછી પણ એક જ વરસાદમાં ખાડાની બધી વાસ્તવિકતા ખુલ્લી પડી જાય છે.

પદ્ધતિસરનું યોગ્ય પાકું રીપેરીંગ લેવલ રોડ રોલર ફેરવવા સાથેના આ કામ ના થવાને લીધે ખાડાની પરિસ્થિતિમાં કોઈ સ્થાઈ કાયમી ફર્ક પડતો નથી.

વહેલી તકે સ્થાનિક તંત્ર આ સમસ્યા પર કાયમી રાહે યોગ્ય કૃપા દ્રષ્ટિ કરે એવી નજીક રહેતા લોકોની માંગણી છે. હાલ રોકાઈ ગયેલા વરસાદમાં તંત્ર આ બાબતે ક્યારે જાગે છે તે જોવાનું રહ્યુ.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique