ભારતભરમાં પ્રખ્યાત ઐઠોરના શ્રી ગણપતિ દાદાના દર્શનનો દિવ્ય અવસર ભાગ્યે જ કોઈ ધાર્મિક વ્યક્તિ ચુકી શકે.
17-07-25 ગુરુવાર ના રોજ સહપરિવાર પધારેલ સંજયભાઈ રાવળના જણાવ્યા મુજબ, શ્રી ઐઠોરા ગણેશ પર તેઓની અપાર શ્રદ્ધા છે અને સમયની અનુકૂળતા મુજબ અવારનવાર દાદાના દર્શને આવતા હોય છે.
શ્રી ગણપતિ મંદિરમાં આ સમયે હાજર ટ્રસ્ટી હાર્દિકભાઈ પટેલ અને મંત્રી રાહુલભાઈ પટેલે ખેસ પહેરાવી, સ્મુતિ રૂપે દાદાનો ફોટો અને પ્રસાદી આપી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ઊંઝા તાલુકા ભાજપ મહિલા પૂર્વ ઉપપ્રમુખ સ્મિત્તિકાબેન સુથાર અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
સંજયભાઈએ મંદિરના ભોજનપ્રસાદીનો લાભ લઇ પ્રસાદીના સ્વાદને ખુબ વખાણ્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
