Explore

Search

September 6, 2025 1:56 pm

IAS Coaching

આજે વદ ચોથ હોવાથી ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી.

આજે 14-06-25 જેઠ વદ ચોથ ને શનિવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જગવિખ્યાત શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી.

ચોથના પવિત્ર દિવસે કાયમ વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના દર્શન કરી પ્રસન્નતા અનુભવતા હોય છે.

કળિયુગના જીવંત દેવ મનાતા સિંદૂરીયા ડાભી સુંઢાળા આ દાદાનું મંદિર આશરે 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે. દર વર્ષે લાખો ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલ ઐઠોરા ગણેશના આ દિવ્ય મંદિરમાં

દિવસે-દિવસે ભક્તોના વધતા ઘસારા ને પહોચી વળવા માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર ખુબ સારી રીતે ભક્તોને સેવા પુરી પાડી રહી છે.

ભક્તો માટેની સ્વયંસેવકોની ટીમ પણ સેવા આપવા કાયમ તૈયાર જ રહે છે.

ચોથના આ દિવસે ભક્તોની સેવા હેતુ ચા – પાણી અને ઉપવાસીઓ માટે ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા કાયમ હોય છે.

અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer