Explore

Search

April 19, 2025 3:08 pm

IAS Coaching

ઐઠોર ગામે દાદાના ચોથના મેળામાં નવા વર્ષનો વરતારો જોવામાં આવ્યો.

ઐઠોર શ્રી ગણપતિ મંદિરમાં જોવામાં આવતા આ વરતારાનું આખા દેશભરમાં અનોખું જ મહત્વ હોય છે.

કાલ સાંજથી ભક્તોમાં ‘કાગડોળે’ નવા વર્ષના વરતારાની રાહ જોવાઈ રહી હતી.

આખા ઐઠોર ગામમાં બહાર રહેતો કદાચ એકેય પરિવાર એવો નહિ હોય જેઓ આ મેળામાં આવતા નહિ હોય.

વરતારા મુજબ આખુ નવું વર્ષ 10 આની જેવું સારું રહેશે,

વરસાદ શરૂઆતમા સારો અને એકદરે મઘ્યમ રહેશે.

વર્ષે ખેતી માટે સારું રહેશે.

કુદરતી આફતો રહેશે.

આ પરંપરા મૂળ ઐઠોરમાં છેક ગાયકવાડ સરકાર વખતથી ચાલુ હોવાનું મનાય છે.

વરતારો જોનારી કમિટી આખા ગામમાંથી ટોડા – કુટુંબ મુજબ 1 વ્યક્તિની વ્યવસ્થા મુજબ કુલ 18 વ્યક્તિઓની બનેલી હોય છે.

ચોથના દિવસે સાંજના આખા ગામ વચ્ચેથી આ કાર્યક્રમ જાહેરમાં યોજાય છે અને બીજા દિવસે સવારે 11 વાગે વરતારો નક્કી કરી જાહેર કરવામાં આવે છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique