આજે 16-04-25 ત્રીજ – ચોથ ને બુધવારે ઉત્તર ગુજરાતીના લોકપ્રિય ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી.
ચોથ હોય ત્યારે વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
કળિયુગના જીવંત દેવ મનાતા સિંદૂરીયા ડાભી સુંઢાળા આ દાદાનું મંદિર 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે.
દર્શને આવનાર દાદાના ભક્તો માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થા પણ શક્ય તમામ સ્તરે સેવા આપવા ખડે પગે તૈયાર જ રહે છે.
ચોથના આ દિવસે ભક્તોની સેવા હેતુ ચા – પાણી અને ઉપવાસીઓ માટે ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા કરતા હોય છે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
