Explore

Search

September 6, 2025 12:11 pm

IAS Coaching

આજે નાગપંચમીના પવિત્ર દિવસે ઐઠોર ગામની પવિત્ર ભૂમિ પર શ્રી દાસજીયા ગોગા મહારાજ મંદિરે દર્શનાર્થીઓ ઉમટ્યા.

નાગપંચમીનું ગુજરાતમાં અનેરું જ મહત્વ રહેલું છે.

તેમાંય ગામડાની તો વાત જ સુ કરવી,,!!

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે તળાવની બાજુમાં જ 23-04-23 ના રોજ સમસ્ત ઠાકોર ભાઈઓ અને ગ્રામજનોના સહકારથી પૂર્ણ વિધિવિધાન સાથે ધામધૂમથી પ્રતિષ્ઠા પામેલ શ્રી દાસજીયા ગોગા મહારાજનું મંદિર તળાવવાળા વાસમાં આવેલ છે.

આજે નાગદેવતાને રિઝવવા શ્રદ્ધાળુઓ ગોળ – ઘી ની કુલેર, સુખડી અને ખાસ તો શ્રીફળ ચડાવતા હોય છે.

મંદિરમાં આવનારા દર્શનાર્થીઓ માટે ચા – પાણીની પણ સરસ વ્યવસ્થા સેવકો દ્વારા કરવામાં આવી હતી.

શ્રી દાસજીયા ગોગા મહારાજ સૌની મનોકામના પૂર્ણ કરે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique