Explore

Search

September 8, 2025 2:17 am

IAS Coaching

શ્રી સાવદરા પરિવાર, ઐઠોરનો પાંચમો સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો.

શ્રી ઐઠોરા ગણેશની પાવન ભૂમિ પર શ્રી એમ. એચ. પટેલ (ગજાનંદવાળા) હાઈસ્કૂલમાં 2-11-24 શનિવારના રોજ નવા વર્ષ નિમિત્તે સાંજના શ્રી સાવદરા પરિવાર ટ્રસ્ટ આયોજિત પાંચમો સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયો. તેમાં દર વર્ષની જેમ મોટી સંખ્યામાં પરિવારના સભ્યો હાજર રહી નવા વર્ષ નિમિત્તે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

અગાઉના આયોજન મુજબ પરિવારના પ્રતિષ્ઠિત વ્યક્તિને ‘સાવદરા રત્ન’ માટે આ વખતે રાજેન્દ્રભાઇ એચ.પટેલને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

સમગ્ર ભોજન પ્રસાદીનો ખર્ચ શ્રી ગણેશભાઈ જેઠાભાઇ પટેલ પરિવાર તરફથી, સમગ્ર મંડપ અને ઈનામવિતરણના દાતા શ્રી અરવિંદભાઈ માધવલાલ પટેલ પરિવાર તરફથી અને ચોપડાના કાયમી દાતા શ્રી દિનેશભાઇ શંભુદાસ પટેલ તરફથી આ સમગ્ર આયોજનમાં વિશેષ સહકાર મળ્યો હતો.

આયોજનકર્તાઓએ સમગ્ર દાતાઓ અને કાયમ સહકાર આપનાર સ્વયંસેવકો સહીત તમામનો આભાર માન્યો હતો.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo – 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique