Explore

Search

September 6, 2025 3:09 pm

IAS Coaching

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સમિતિ મહેસાણા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આયોજીત શિક્ષક ગરિમા શિબિરમાં ખોડાભાઈ પટેલનું સ્નેહ સન્માન.

ગાયત્રી શક્તિપીઠ મહેસાણામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સમિતિ મહેસાણા અને વિશ્વ ગાયત્રી પરિવાર આયોજીત શિક્ષક ગરિમા શિબિર યોજાઈ જેમાં મહેસાણા જીલ્લામાંથી અનેક શિક્ષકો એ ભાગ લીધો હતો.આ અવસરે મા.શંકરભાઈ પટેલ, મા.નટુભાઈ દલવાડી, ડો.મમતાબેન પંડિત, મા.ભરતભાઈ પટેલ, મા.સૂર્યકાંતભાઈ રાવલ સહિત તાલુકા અને જીલ્લા ગાયત્રી પરિવારમાં જવાબદારી વહન કરનાર અનેક કાર્યકર્તા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ શિબિરમાં પરીક્ષાલક્ષી ચર્ચા -વિચારણા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ શાળા, મહાશાળા તથા કોલેજોમાથી વધારે સંખ્યા જોડાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. સેવા કરનાર કન્વીનરશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા સક્રિય સેવા કરનારનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરીક્ષા નું મહત્વ સમજાવી ગાયત્રી મંત્રનાં મહિમાનું ગાન કરાવનાર અને શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળા, નાની કડીનાં આચાર્ય ખોડાભાઈ બી.પટેલનું સેવા-સ્નેહ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ ખોડાભાઈ સાહેબની સેવાઓને બિરદાવી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai