ગઈ કાલે તારીખ 11-11-2024 સોમવારના રોજ દિનેશભાઇ મણિલાલ પટેલ (ગામી) ના ખેતરે, રાણીયાનો આંટો, પુષ્પાવતી નદીના કિનારે,ઐઠોર – વણાગલા રોડ પર શ્રી ગોગા મહારાજના નવીન મંદિરમાં ફૉટો પ્રતિષ્ઠા કરવામાં આવી. સવારે 8 વાગે શરૂ કરેલ આ નવચંડી યજ્ઞની સાંજે 4:30 વાગે શ્રી ફળ હોમી પુર્ણાહુતી કરવામાં આવી હતી.
ત્યારબાદ ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિનેશભાઇની સાથે-સાથે આ ધાર્મિક પોગ્રામમાં કુટુંબના વડીલ સમા બાબુભાઇ, ભાઈલાલભાઈ, રમણભાઈ, અને ડાહ્યાભાઈ,હર્ષદભાઈ, તેમના પરિવાર અને સમસ્ત ગામી પરિવારજનો પણ હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
