શ્રી ગણપતી મંદિરની સામે આશરે 700 વર્ષ જૂનું શ્રી વિષ્ણુ ભગવાનનું મંદિર છે, જે સમયાંતરે થોડું નમી ગયેલ જોઈ શકાય છે.
પુષ્પાવતી નદીના કિનારે આવેલ હોવાથી નજીકમાં જ અદભુત કુદરતી સૌંદર્ય પણ જોઈ શકાય છે.
આજુબાજુનું શાંત વાતાવરણ ત્યાં રોકાનાર ભકતના મનને શાંતિ આપે છે.
ઉદાર દાતાઓના વિશેષ સહયોગથી અહીં રોકાવા માટે તમામ સગવડો વાળું અતિથિગૃહ અને બપોર – સાંજ પાકું ભોજન ભોજનાલયમાં નજીવા દરે મળી રહે છે.
ચા – નાસ્તા અને ઠંડા માટે મંદિર કેમ્પસમાં કેન્ટીન પણ છે.દાદાની પ્રસાદી રૂપેનો લાડવો ખાવાની મજા જ કઈક અલગ છે.
અહીં દર માસની કૃષ્ણ પક્ષ (પૂનમ પછીની) ચોથ માં ખૂણે ખૂણેથી હજારો ભક્તો દર્શન માટે આવતા હોવાથી બપોરે મોડા સુધી ફળાહાર અને આખો દિવસ ચા – પાણીની યોગ્ય વ્યવસ્થા સંસ્થા તરફથી વર્ષોથી ચાલી આવે છે.
અહીંના દરેક પ્રસંગ કે મોટા આયોજનમાં ગામલોકોનો દરેક પ્રકારનો સહકાર મળતો રહે છે.
વધુ આવતા અંકે,,!!
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર
