Explore

Search

September 6, 2025 3:09 pm

IAS Coaching

આજે 15 મી ઓગસ્ટ નિમિત્તે બાલાસર પ્રાથમિક શાળા, કડી ના આચાર્ય શ્રી વિષ્ણુભાઈ રામાભાઈ, સરપંચ શ્રી રુગનાથજી અને જાગૃત ગ્રામજનોની આગેવાની હેઠળ દાતાશ્રી ઠાકોર કાંતિજીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

વહેલી સવારે તિરંગા રેલીમાં બાળકો,ગ્રામજનો અને બાલાસર પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ પણ રેલીમાં જોડાયો.

કાર્યક્રમ ને અંતે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોની શાળામાં હાજરી, શિક્ષણમાં ભાગીદારી, અનિયમિત બાળકો, સ્વછતા જેવા વિષયો પર ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું.

આ ઉપરાંત સરકારશ્રી ની વિવિધ યોજનાઓ, એપ્લિકેશનો અને વિવિધ શિષ્યવૃતિ યોજનાઓથી ગ્રામજનોને માહિતીગાર કરવામાં આવ્યા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer