આજે મહા સુદ પાંચમ રવિવાર તારીખ 2-2-25 ના રોજ રાત્રે 9 વાગ્યાંથી ઊંઝા વિસનગર રોડ પર આવેલ ખંડોસણ ગામે શ્રી વિરમજી ભગતના આશ્રમે દર વર્ષની જેમ ઉજવાશે.
જેમાં વિરમજી ભગત અને પુદગામના કડવાજી ભગત પાઠ પુરશે.
રાત્રે 9:15 વાગે જ્યોત પ્રગટાવી, 9:30 વાગે આરતી 12:15 પાઠપૂજન ધામધૂમથી કરવામાં આવશે.
જ્યોતના વાળમળા 4:15 વાગે અને પ્રસાદ 4:30 વાગે ચઢાવવામાં આવશે.
અહીં શ્રી મહાકાલી મિત્ર મંડળ, દાતાઓ, સેવકો અને ખંડોસણના સમગ્ર ગ્રામજનો સાથે મળી દરેક ધાર્મિક તહેવારે અને અવાર-નવાર આવી અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હોય છે.
આ તેમનો સાતમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે.
પંચદેવ કુટિરના વિરમજી ભગતે સૌ ભાવિક ભક્તોને આ શુભ પ્રસંગનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
